વડાપ્રધાને કર્યા સૂર્ય તિલકના દર્શન : હેલિકોપ્ટરમાં પગરખા ઉતારી અનોખી ક્ષણ નિહાળી ...
- 17 Apr, 2024
500 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીરામનો સૂર્યાભિષકે થયો હતો .આજે રામનવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાંઆસ્થા અને વિજ્ઞાનના સંગમથી રામલલાનો સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ એક અદ્ભુત ક્ષણ હતી.ત્યારબાદ સમગ્ર મંદિર પરિસર રામનામથી ગુંજી રહ્યુ હતું. જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાક્ષી બન્યા હતા.
તેમણે વિશ્વભરના રામભક્તોને આગ્રહ કર્યો હતો કે તેઓ આ અદભૂત ક્ષણના સાક્ષી જરૂર બને.પ્રધાનમંત્રી મોદીએ આ અદ્ભુત ક્ષણનો વીડિયો ટેબલેટ દ્વારા જોયો હતો. તેમજ આ વીડિયો જોઈને તેઓ શ્રદ્ધા સાથે ભાવુક દેખાયા હતા.વડાપ્રધાન મોદી એ સોસિયલ મીડિયા માં શેર કર્યું હતું કે- નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણ જોવાનો લહાવો મળ્યો.
શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક જોતા પહેલા હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પગરખા ઉતાર્યા અને સંપૂર્ણ આદર સાથે સૂર્ય તિલકના અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભગવાન રામને હૃદય પર હાથ રાખીને અને માથું નમાવીને નમન કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ